રાતોરાત પ્રખ્યાત થયેલ કમાભાઈ ના માતા-પિતા એ એવી વાત કહી જે જાણી ને લોકો હેરાન થઇ ગયા. નાનપણ માં જ ડોક્ટરે કહ્યું હતું કે…

આપણા ગુજરાતમાં લોક ડાયરાઓનું ખૂબ જ મહત્વ છે. આપણા ગુજરાતના લોક કલાકારો એટલે કે ડાયરા ના કલાકારો જ્યારે ડાયરાના પ્રોગ્રામ કરે છે. ત્યારે લાખોની સંખ્યામાં લોકો મેદાનમાં ઉમટી પડતા હોય છે. અને લાખોની સંખ્યામાં મેદાનમાં લોકો ડાયરા કલાકારોને માણતા હોય છે. અને લાખો રૂપિયા ડાયરાના કલાકારો પર ઉડાવતા હોય છે. આપણા ગુજરાતમાં ઘણા બધા ડાયરાના કલાકારો છે જેમાંના એક છે કિર્તીદાનભાઈ ગઢવી. આજે કિર્તીદાન ભાઈ ગઢવી ની સાથે સાથે એક દિવ્યાંગ વ્યક્તિનું નામ પણ જોડાઈ ગયેલું છે. તે દિવ્યાંગ વ્યક્તિને તમે લોકો જાણતા જ હશો. તેનું નામ છે કમાભાઈ.

એક દિવસ કિર્તીદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આ કમા નામનો વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ નિહાળતો હતો. અને અચાનક કિર્તીદાન ભાઈએ એવું ગીત લલકારયુ કે કમો ઉભો થઈને કીર્તીદાનભાઈ ગઢવી ની સામે આવીને ડાન્સ કરવા લાગ્યો હતો. કિર્તીદાનભાઈ ની સામે તે ગીત ઉપર ગીતને માન આપીને ડાન્સ કરતો હતો. ત્યારથી આ કમાન નામનો વ્યક્તિ ગુજરાતના હર ઘરમાં જાણીતો થઈ ગયો છે.

પહેલીવાર જ્યારે કિર્તીદાનભાઈ ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000 ની નોટ પણ આપી હતી. ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછ્યું હતું. ત્યારે લોકોએ કહ્યું હતું કમો ત્યારથી આ કમાભાઈ જાણીતા બની ગયા છે. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે. જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈ નું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર ચાર બોડીગાર્ડ રાખે છે.

કમાભાઈ નું મૂળ વતન સુરેન્દ્રનગર જીલ્લાનું કોઠારીયા ગામ છે. કમાભાઈ ને જે પણ રૂપિયા મળે છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. કમાભાઈ ના માતા પિતા પાસેથી એક વિશેષ વાત જાણવા મળી હતી. કમાભાઈ ના માતા પિતાએ કહ્યું હતું કે કમાભાઈ જ્યારે નાના હતા. ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેઓને ભજન માં વિશેષ લાગણી જોવા મળશે. અને થયું પણ એવું જ આજે કમાભાઈ ગુજરાતના હરેક ઘરમાં જાણીતા થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *